રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં કોઇ પણ કંપનીએ ભાવવધારો નથી કર્યો: આર.સી.ફળદુ, કૃષિમંત્રી
Live TV
-
કૃષીમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતરકંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવનાર છે એસંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. આભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
