પ્રધાનમંત્રીએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા પર શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“જસ્ટિસ સંજીવ ખન્નાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી, જેમણે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમના કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.”
2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ઉન્નત થયા અને 2006માં કાયમી ન્યાયાધીશ બન્યા. આ પછી, તેઓ કોઈપણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા વિના જાન્યુઆરી 2019 માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા.
સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ ખન્નાએ ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા છે. જેમાં ચૂંટણીમાં EVMની ઉપયોગિતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને નકારી કાઢવા, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાવત રાખવા અને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો સમાવેશ થાય છે.
જસ્ટિસ ખન્ના દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ દેવ રાજ ખન્નાના પુત્ર છે. તેઓ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એચઆર ખન્નાના ભત્રીજા છે. હાઈકોર્ટમાં જજ બનતા પહેલા તેઓ તેમના પરિવારમાં ત્રીજી પેઢીના વકીલ હતા. 14 મે, 1960ના રોજ જન્મેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
