શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશાનાયકે આજથી ભારતના પ્રવાસે
Live TV
-
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસાનાયકે આજે ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોચશે. શ્રીલંકામાં તાજેતરમા પૂરી થયેલી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી બાદ આ તેમનો પ્રથમ દ્વિપક્ષીય ભારતનો પ્રવાસ છે.
દિસાનાયકેના ભારત પ્રવાસથી બન્ને દેશના બહુઆયામી અને પારસ્પરીક રૂપથી લાભકારી દ્વિપક્ષીય સબંધોને મજબૂતી મળવાની આશા છે. દરમિયાન મોલ્દોવાના ઉપ-પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મિહેલ પોપસોઇ આજથી ભારતના પ્રવાસે આવી રહ્યાં છે ભારતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમનો ઉદેશ બન્ને દેશો વચ્ચેના સબંધોને વધુ મજબુત કરવાનો છે. પોપસોઇ આજે સાંજે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મળશે.
