સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે તવાંગની મુલાકાતે
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે તવાંગની મુલાકાતે છે. આજે તેઓ તવાંગમાં સશસ્ત્ર બળના જવાનો સાથે દીવાળી પર્વની ઉજવણી કરશે તેમજ સંવાદ કરશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પણ ઉપસ્થિત રહેશે.
સંરક્ષણ મંત્રી મેજર રાલેંગનાઓ બોબ ખાતિંગને સમર્પિત સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. તેઓ વાયુ સેનાની વાયુ વીર વિજેતા કાર રેલીને પણ પ્રસ્થાન કરાવશે.તે અગાઉ ગત રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અસમના તેજપુરમાં સૈન્યના જવાનો સાથે ભોજન કર્યું હતું અને દીવાળીની પણ ઉજવણી કરી હતી.
