CM એકનાથ શિંદે રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા, નવી સરકારનો માર્ગ મોકળો
Live TV
-
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન 288માંથી 235 બેઠકો જીત્યા બાદ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો નથી. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે આગામી મુખ્યમંત્રી બનવાની રેસમાં છે.
મતગણતરી પ્રક્રિયા દરમિયાન એકનાથ શિંદેએ સંકેત આપ્યો હતો કે પરિણામો જાહેર થયા બાદ ત્રણેય સહયોગી પક્ષો નક્કી કરશે કે કોણ ભૂમિકા ભજવશે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે તમામ ધારાસભ્યોને બોલાવીશું અને પછી સાથે બેસીને મુખ્યમંત્રી પસંદ કરીશું.
વિધાનસભા 2019નો કાર્યકાળ મંગળવારે સમાપ્ત થઈ રહ્યો છે. એકનાથ શિંદે રાજીનામું આપી શકે છે. જોકે, મહારાષ્ટ્રમાં સીએમ પદ માટેનું નામ હજુ નક્કી થયું નથી, તેથી રાજીનામું આપ્યા બાદ માત્ર શિંદેને જ કાર્યકારી સીએમ બનાવવામાં આવી શકે છે. શિંદે મંગળવારે રાજભવન પહોંચશે અને રાજ્યપાલને રાજીનામું સોંપશે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણ સુધી રાજ્યપાલ શિંદેને કાર્યકારી મુખ્યમંત્રીનો હવાલો આપી શકે છે.
