દીપડાઓ દ્વારા હુમલાની થતી ઘટનાઓને રોકવા માટે સરકારે નવું કાર્ય હાથ ધર્યુ
Live TV
-
દીપડાઓના ઉપર સંશોધન કરવા રેડિયો કોલર બાંધી પ્રયોગ શરૂ કરવામાં આવ્યું
અવારનવાર ગામડાઓમાં દીપડાઓના હમણાંની ઘટનાઓ સર્જાઈ રહી છે..ત્યારે દીપડાઓ દ્વારા થતા હુમલાની થતી ઘટનાઓને રોકવા માટે સરકારે નવું કાર્ય હાથ ધર્યુ છે. દીપડાઓ ઉપર સંશોધન કરવા માટે તેઓને રેડીઓ કોલર બાંધીને રિસર્ચ કામ શરુ કરાયુ છે. આ અંગે વન વિભાગે જણાવ્યું હતું કે, ૨૦૧૯માં ૭૫ સિંહોને રેડિયો કોલર પહેરાવ્યા બાદ હવે વન વિભાગે દીપડા ઉપર આ પ્રયોગ શરુ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત સાસણમાં બે દીપડાઓને રેડિયો કોલર પહેરાવીને જંગલમાં મુક્ત કરાયા હતા. પ્રાથમિક તબક્કે જ્યાં માનવ ઘર્ષણના બનાવો વધુ છે તેવા વિસ્તારના પાંચ દીપડાને રેડિયો કોલર પહેરાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
