માવઠાના કારણે થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું.
ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વરસાદની આગાહી યથાવત છે, રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને એવી ખાતરી આપી છે કે, સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે.
