યુવાઓ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું
Live TV
-
યુવાઓને ગેરમાર્ગે જતા રોકવા માટે યુવાઓ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનના એક યુવા ગ્રુપે યુવાઓ માટે સંદેશા આપવાનું કાર્ય હાથ ધર્યુ છે. અમદાવાદના આ ગ્રુપના ત્રણ યુવાનો ગુજરાતમાં હજાર કિલોમીટરની દોડ લગાવીને પરિભ્રમણ કરી રહ્યા છે. વ્યસન, ડિપ્રેશન અને નાની વયે દિશાહિન બનેલા લોકોને જાગૃત્ત કરવા રૂપેશ મકવાણા, લોકેશ શર્મા અને પાર્થ પટેલ નામના યુવાઓ ગુજરાત અને રાજસ્થાનનું ભ્રમણ કરી રહ્યા છે. જેમ ભૂતકાળમાં ઋષિમુઓ યોગ સાધના, મેડીટેશન, સ્પોર્ટ્સ અને પુસ્તક વાંચન કરતા તેમ આજના દરેક વ્યક્તિએ આ નિત્યક્રમ અપનાવવો જોઇએ તેમ તેમણે જણાવ્યુ હતુ.
