રાજ્યમાં કોરોનાના નવા 1310 કેસ નોંધાયા, તો 15 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1310 કેસ નોંધાયા છે. બીજી તરફ 1250 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.55 ટકા થયો છે.
આજે રાજ્યમાં 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 16762 છે, જેમાંથી 84 વેન્ટિલેટર પર છે અને 16,678 સ્ટેબલ છે.
રાજયમાં અત્યાર સુધી કુલ 1,19,815 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 15 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3478 થયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 278 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 198 અને રાજકોટ જિલ્લામાં નવા 151 કેસ નોંધાયા છે.
