વડોદરાથી ઓરિસ્સા જવા શ્રમિક ટ્રેન થઈ રવાના
Live TV
-
વડોદરાથી બુધવારે રાત્રે ઓરિસ્સા જવા માટે વિશેષ શ્રમિક ટ્રેન રવાના થઇ હતી. જેમાં વડોદરા શહેર અને જિલ્લાના ૭૧૦ તેમજ રાજ્યના અન્ય પાંચ જિલ્લાના ૫૮૩ મળીને કુલ ૧ હજાર ૨૯૩ લોકો વતન જવાના રવાના થયા હતા. નાયબ કલેકટર અને નોડલ અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે આ પૈકી 710 લોકો વડોદરા શહેર અને વિવિધ તાલુકાઓના હતાં જ્યારે 583 લોકો ગાંધીનગર,ભરૂચ,પંચમહાલ,દાહોદ અને આણંદ જિલ્લાના હતાં. પોતાના વતન જવાની વ્યવસ્થા થતાં આ લોકોએ ખૂબ રાહતની લાગણી અનુભવી હતી અને બંને રાજ્યોની સરકારોને હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
