વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો
Live TV
-
વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો
વડોદરામાં ભગવાન નરસિંહજીનો 287મો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. શહેરના નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરેથી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. નરસિહંજીના મંદિરમાં પહેલા ભગવાનની પૂજા-અર્ચના કરાઈ હતી. જે બાદ વર્ષો જૂના પરંપરા મુજબ ભગવાન નરસિંહને પાલખીમાં બિરાજમાન કરાયા હતા. આ દરમિયાન જય કનૈયાલાલકીનો જય જય ઘોષનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. ભગવાન નરસિંહના વરઘોડામાં મેયર સહિત અન્ય અગ્રણીજનો જોડાયા હતા.
