Skip to main content
Settings Settings for Dark

ઉગતા સૂર્યની અર્ઘ્ય સાથે છઠ પૂજાનું થયું સમાપન

Live TV

X
  • ઉગતા સૂર્યની અર્ઘ્ય સાથે છઠ પૂજાનું થયું સમાપન

    આજે છઠ પૂજાનો ચોથો અને છેલ્લો દિવસ છે. આ દિવસે ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે, જેને ઉષા અર્ઘ્ય પણ કહેવામાં આવે છે. છઠ મહાપર્વ ચાર દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરતી મહિલાઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. પ્રથમ દિવસે નહાય ખાયા કરવામાં આવે છે જેમાં ઉપવાસ કરનારે સ્નાન કરીને સાત્વિક ભોજન કરવાનું હોય છે. આ દિવસે સાંજે ગોળ, દૂધ અને ચોખાની ખીર તૈયાર કરવામાં આવે છે. ખરના દિવસે, આખો દિવસ પાણી વિનાનો ઉપવાસ રાખવામાં આવે છે અને સાંજે, ખીર ખાધા પછી, 36 કલાકના નિર્જલ ઉપવાસની શરૂઆત કરવામાં આવે છે. ત્રીજા દિવસે પ્રથમ અર્ઘ્ય અસ્ત થતા સૂર્યને અર્પણ કરવામાં આવે છે. આ પછી, અંતિમ દિવસે બીજુ અર્ઘ્ય ઉગતા સૂર્યને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે છઠ વ્રત પણ તોડવામાં આવે છે. 

    છઠ વ્રત શા માટે મનાવવામાં આવે છે?

    સૂર્યની ઉપાસના કરવાથી વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને સ્વસ્થ શરીર પ્રાપ્ત કરે છે. છઠ્ઠી મૈયાની પૂજા કરવાથી બાળકને લાંબુ અને સુખી જીવન મળે છે. છઠ વ્રત રાખવાથી સંતાન પ્રાપ્તિમાં ખુશી મળે છે અને જેમને પહેલાથી જ સંતાન છે, તેમના બાળકોને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય મળે છે. તેમજ છઠ વ્રત રાખનારને આશીર્વાદ મળે છે અને તેનું જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. છઠ પૂજામાં સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply