કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના મંત્રીમંડળમાં વધુ દસ મંત્રીઓનો સમાવેશ
Live TV
-
હવે મંત્રીઓની સંખ્યા 18 થી વધીને 28 થઈ ગઈ છે. મંત્રીમંડળમાં મંત્રીઓની કુલ જગ્યા 34 છે
કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ આજે તેમના મંત્રીમંડળમાં વધુ દસ મંત્રીઓનો સમાવેશ કર્યો છે. રાજ્યપાલ વજુભાઇ વાલાએ બેંગલુરુના રાજભવનમાં આ નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા. આજે મંત્રીમંડળમાં સામેલ કરાયેલા દસ ધારાસભ્યો કોંગ્રેસ અને જનતા દળ એસથી અલગ થયા હતા અને ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી જીત્યા હતા.
હવે મંત્રીઓની સંખ્યા 18 થી વધીને 28 થઈ ગઈ છે. મંત્રીમંડળમાં મંત્રીઓની કુલ જગ્યા 34 છે. કોંગ્રેસથી છૂટા પડેલા ભાજપના ધારાસભ્ય મહેશ કુમાથલીનો આજે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેમને બીજી કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવશે.
