ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા બાદ રાજધાનીમાં સ્થિતિની સમીક્ષા કરવા બોલાવી બેઠક
Live TV
-
દિલ્હીઃ નાગરિકતા સુધારા કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્લીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્લીના પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતમાં થઈ રહેલી આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, પોલીસ કમિશનર અમુલ્યા પટનાયક, કોંગ્રેસ નેતા સુભાષ ચોપરા, ભાજપના નેતા મનોજ તિવારી અને રામબીર સિંહ બિધુરી હાજર રહ્યાં હતા.
અમિત શાહે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા બાદ રાજધાનીમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી. બેઠકમાં પોલીસ અને ધારાસભ્યોનું કોર્ડિનેશન, પુરતા પ્રમાણમાં ફોર્સની ગોઠવણી અને કઈ રીતે અફવાઓને નિયંત્રિત કરવી જેવા મુદ્દાઓની વિગેતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરેક વ્યક્તિ હિંસા બંધ થાય તેવું ઈચ્છે છે. ગૃહમંત્રી અમિત શાહે આજે બોલાવેલી બેઠક હકારાત્મક રહી છે. આ બેઠકમાં દરેક રાજકીય પક્ષોએ આપણા શહેરમાં શાંતિ ફરી સ્થાપાશે તેવી ખાતરી આપી છે. પત્રકારો સાથેની વાતચીતમાં હિંસાને નિયંત્રિત કરવા માટે આર્મી બોલાવવા અંગે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલ તમામ પગલા પોલીસ લેશે પરંતુ જરૂર જણાશે તો આર્મી બોલવવામાં આવશે. બેઠકમાં કેજરીવાલને ગૃહમંત્રીએ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂર મુજબ પુરતા પોલીસ કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા અંગેની પણ ખાતરી આપી હતી.ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં સંશોધિત નાગરિકતા કાયદા(CAA)ને લઈને ભડકેલી હિંસામાં દેખાવકારોએ ઘર, દુકાનો,વાહનો અને એક પેટ્રોલ પંપમાં આગ ચાંપી હતી.
