દિલ્હીમાં આજથી શરૂ થશે આતંકવાદ વિરોધી સંમેલન
Live TV
-
દિલ્હીમાં આજથી શરૂ થશે આતંકવાદ વિરોધી સંમેલન
NIA દ્વારા આયોજિત બે દિવસીય "આતંવાદ નિરોધી સંમેલન" ની આજથી દિલ્હીમાં શરૂઆત થશે. જે માટે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર તેમની ઝીરો ટોલરન્સ નીતિ સાથે આતંક મુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. આ સંમેલન ભારતના સુરક્ષા સ્તરોને વધુ મજબુત બનાવવા માટે એજન્સીઓ વચ્ચેના સમન્વયને વધુ મજબુત બનાવશે. આ વાર્ષિક સંમેલન રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરતા મુદ્દાઓ અને આતંકવાદનો સામનો કરી રહેલા સુરક્ષાદળો, ટેકનીકલ, કાયદાકીય અને ફોરેન્સિક એક્સપર્ટ વચ્ચે આતંકવાદના કારણે ઉદ્દભવ થતા ખતરાઓ પર વિચાર-વિમર્શ કરવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ સંમેલન બદલાતી ન્યાયિક વ્યવસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય ન્યાયિક સહયોગ જેવા વિભિન્ન મહત્વપૂર્ણ મામલાઓ પર આધારિત રહેશે.
