પ્રધાનમંત્રીની ચેમ્પિયન્સ સાથે મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ
Live TV
-
ભારતીય ખેલાડીઓએ 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય પદક જીત્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના પદક વિજેતાઓ સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 39 પદક પોતાના નામે કર્યા છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય પદક જીત્યા છે.
આ વખતના કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે 7 સુવર્ણ અને 3 રજત પદક પોતાના નામે કર્યા છે. કોમનવેલ્થ ગેમ્સના પદક વિજેતાઓ સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો શેર કરતા લખ્યું છે કે, “કોમનવેલ્થ ગેમ્સ 2026ના આપણા શાનદાર મેડલ વિજેતાઓની યજમાની કરીને ખૂબ ખુશી થઈ. ગેમ્સ દરમિયાન તેમના અનુભવો વિશે સાંભળ્યું. તે સૌએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી દેશનું માન વધાર્યું છે. તેમની સફળતા ઘણા યુવાનોને પ્રેરિત કરશે.” પ્રધાનમંત્રીએ ખેલાડીઓ પાસેથી ગેમ્સ દરમિયાન તેમના અનુભવો સાંભળ્યા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી.
