નર્મદા ડેમની 241 કી.મી.માં 950 સુરક્ષા કર્મીચારીઓનો પહેરો
સરદાર સરોવર નર્મદા ડેમ માં ગત વર્ષ કરતા ઓછા પાણીને કારણે ગુજરાત સરકારે, ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો આગવો નિર્ણય લીધો જેથી, આગામી ઉનાળામાં ગુજરાતની પ્રજાને પીવાના પીવાના પાણી માટે કોઈ સંકટ ના રહે અને માટે જ નર્મદા બંધ સ્થળથી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 241 કિમિમાં 950 સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા પહેરો ભરે છે અને SRP જવાનો ની ટીમ તેનાત કરી દેવાઈ છે, કેનાલો પર 5 પીઆઇ, 10 પીએસઆઇ 735 જેટલા સુરક્ષા કર્મીઓ કામ કરે છે, જેમાં નર્મદા મુખ્ય કેનાલથી બોડેલી, હાલોલ, લાડવેલ, ગાંધીનગર, મોઢેરા, રાધનપુર, દિયોદર, વિસ્તારોમાં સુરક્ષા કરે છે.