પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે બેઠક યોજી
Live TV
-
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.. આ બેઠક રાષ્ટ્રીય પાટનગરના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવના સુષ્મા સ્વરાજ ભવનમાં થઈ રહી છે. આ બેઠક તેમની સરકારના બીજા કાર્યકાળ દરમિયાનની લગભગ છેલ્લી બેઠક હોઈ શકે છે, કારણ કે લોકસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે.
આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે ભાજપના આગેવાનોએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની ત્રીજા કાર્યકાળ માટે કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચ આગામી કેટલાક સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
