અરવલ્લીઃ અભ્યાસક્રમમાં કચાશ દૂર કરવા રવિવારે પણ શાળા શરુ રહેશે
Live TV
-
કોરોના મહામારીમાં શાળાઓ બંધ હતી પણ હવે શાળાઓ શરૂ થતાં બાળકોનો અભ્યાસ પૂર્ણ કરવા અને અભ્યાસમાં કચાશ દૂર કરવા માટે અરવલ્લી જિલ્લામાં સ્વૈચ્છિક સંમત્તિ સાથે રવિવારે પણ વર્ગો શરૂ કરાયા છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાં આ રીતે રવિવારના વર્ગોની શરુઆત થઈ છે.
કોરોના મહામારીમાં શાળાઓ બંધ હતી પણ હવે શાળાઓ શરૂ થતાં બાળકોનો અભ્યાસ પૂર્ણ કરવા અને અભ્યાસમાં કચાશ દૂર કરવા માટે અરવલ્લી જિલ્લામાં સ્વૈચ્છિક સંમત્તિ સાથે રવિવારે પણ વર્ગો શરૂ કરાયા છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાં આ રીતે રવિવારના વર્ગોની શરુઆત થઈ છે.
આ અભિગમ શરૂ કરતા પહેલા અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની 10 શાળામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેમાં શાળાઓ સંમત્ત થઇ હતી. હવે જિલ્લાની 211 શાળાઓ આ અભિગમમાં જોડાઈ છે અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શિક્ષકો પણ પરિશ્રમ કરી રહ્યા છે. આ વર્ગોમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સોમવારથી શનિવાર સુધી ભણાવવામાં આવેલ વિષયોનું રવિવારે મુલ્યાંકન અને રિવિઝન કરવામાં આવે છે. આ મુલ્યાંકન અને રિવિઝનથી વિદ્યાર્થીઓ પરિક્ષામાં સારી રીતે લખી શકશે.જિલ્લા શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી છે.
