કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
Live TV
-
અંબાજી ધામએ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ,ત્યારે અંબાજીનો વધુ વિકાસ થાય અને તે વધુ સુવિધા સભર બને તે માટે હવે અંબાજીને નગરપાલીકા નહીં પણ સરકાર દ્વારા વિશેષ ફંડ આપી અંબાજી ઓથોરીટી નગર જાહેર કરવાની કવાયત તેજ બની છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, ગઈકાલે સલાહકાર સમિતિની બેઠક મળી હતી , જેમાં સર્વ સંમતિ નિર્ણય લેવાયો છે કે, 21 સપ્ટેબરથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં 20 વિધેયકો રજુ કરવામાં આવશે. જેમાં યાત્રાધામ અંબાજીનો વિકાસ કરવા અંગેના વિધેયક પસાર કરવામાં આવશે.
