કેવડિયાઃ કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2021ના સમાપન સત્રને PM મોદીએ સંબોધિત કર્યુ
Live TV
-
ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશની રક્ષા અને સુરક્ષાને પ્રભાવિત કરનારા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેવડિયામાં યોજાયેલ કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2021ના સમાપન સત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું હતું. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશની રક્ષા અને સુરક્ષાને પ્રભાવિત કરનારા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે શસસ્ત્ર સેનાઓનાં આધુનિકીકરણ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પર ખાસ ચર્ચા થઈ હતી.
કેવડિયા ખાતે 4 થી 6 માર્ચ સુધી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ભારતીય સેનાના જવાનો, ત્રણેય સેનાના વડા સહિત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2021ના સમપાન થયા બાદ પીએમ મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રુપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે મીટિંગ કરી હતી.
