ગીર સોમનાથ: સિંહની પજવણી કાંડમાં કોર્ટે છ આરોપીઓને દોષી જાહેર કર્યા
Live TV
-
ગીર સોમનાથના ગીર ગઢડામાં સિંહની પજવણી કાંડમાં કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગીર ગઢડા કોર્ટે સાત આરોપીઓ પૈકી છ આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં એક આરોપીને એક વર્ષની અને પાંચ આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સિંહના ગેરકાયદેસર દર્શન કરાવવા માટે સિંહને મુરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા કેસ દાખલ થયો હતો. જેના આધારે કોર્ટે સજા ફટકારી છે.
