નડિયાદ: 'માતૃછાયા' અનાથ આશ્રમમાંથી ઇટાલિયન દંપતિએ બાળકને દત્તક લીધુ
Live TV
-
કાયદાકીય પ્રક્રિયા બાદ બાળકની સોંપણી દંપતીને કરવામાં આવી
નડિયાદના એક અનાથ બાળકને માતાનો સહારો મળ્યો છે. નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાંથી વિદેશી ઇટાલિયન દંપતિ દ્વારા એક બાળકને દત્તક લેવામાં આવ્યું છે. તેને માતૃત્વની હુંફ મળશે અને વિદેશમાં સુવિધાયુક્ત માહોલમાં ઉછેર થશે. કાયદાકીય પ્રક્રિયા બાદ બાળકની સોંપણી દંપતીને કરવામાં આવી હતી.
દંપતી પણ બાળકને દત્તક લઈને ખુબ ખુશ હતું
રોનકને દત્તક લઇને વિદેશી દંપતી પણ ખુશ હતું. અનાથ આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇટાલિયન દંપતિ પીએત્રો રિયેન્ઝો અને મારિઆ એલિશાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશ રાવ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, અનાથ આશ્રમના ડાયરેકટર સી. મીના મેકવાન અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
