માછીમારોને સમજણ આપવા નેવીના સહયોગથી બેઠક યોજાશેઃ મત્સ્યોદ્યોગ મંત્રી પૂજા વંશ
Live TV
-
ગાંધીનગરમાં વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળી હતી. જેમાં માછીમારોના અપહરણના પ્રશ્ને મત્સ્યોદ્યોગ મંત્રી પૂજાભાઈ વંશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા પોરબંદરની બે અને વેરાવળની એક સહિત 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં વિધાનસભાની ચોથા દિવસની બેઠક મળી હતી. જેમાં માછીમારોના અપહરણના પ્રશ્ને મત્સ્યોદ્યોગ મંત્રી પૂજાભાઈ વંશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા પોરબંદરની બે અને વેરાવળની એક સહિત 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે અંગે પૂજાભાઈ વંશે વિધાનસભામાં નિવેદન આપતા કહ્યું હતું, કે માછીમારો આંતરરાષ્ટ્રીય જળ સીમા ન ઓળંગે તે માટે રાજ્યના અગત્યના બંદરો પર કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને નેવીના સહયોગથી એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં બોટ માલિકો, માછીમારો તેમજ માછીમાર આગોવાનોને તાલીમ અને સમજણ આપવામાં આવશે. તે માટે તાલીમ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
