યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું
Live TV
-
વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું રોપવે
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા ઉડાન ખટોલા રોપવે વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. જે 14 તારીખથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા આ રોપવેનું સંચાલન કરવામાં આવે છે. જેનું વર્ષમાં બે વાર મેઈન્ટેનન્સ હાથ ધરવામાં આવે છે.
જે અંતર્ગત રોપવે સેવા 6 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે, એટલે 08 માર્ચથી 13 માર્ચ સુધી એમ કુલ 6 દિવસ રોપવેની સેવા બંઘ કરવાની ફરજ પડી છે. આ દરમિયાન અસક્ષમ યાત્રાળુઓને દર્શનાર્થે ન આવવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
