રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
Live TV
-
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા TRP ગેમ ઝોનમાં ગઈ સાંજે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટોની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાજર રહેશે. ઉપરાંત ચાર મહાનગરોના વકીલો પણ હાજર રહેશે.
આ બનાવ અંગે FIR દાખલ કરવામાં આવી છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
