રાજ્યમાં નવા 1432 કેસ નોધાયા, તો 16 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1432 કેસ નોંધાયા છે. બીજી તરફ 1470 નવા દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.12 ટકા થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,02,571 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 1,21,930 પર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,054 છે, જેમાંથી 97 વેન્ટિલેટર પર છે અને 15,957 સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે, અને તેની સાથે કુલ મૃત્યુઆંક 3305 પર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 281, અમદાવાદ જિલ્લામાં 178 કેસ તો રાજકોટ જિલ્લામાં નવા 151 કેસ નોંધાયા છે.
