વધતી વસ્તી તેમજ પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને જળસંચય કરવું જરૂરી બન્યું છે
Live TV
-
કમિશ્નર આનંદ પટેલ ઉપસ્થિત રહેલ તેઓએ રાજકોટ મહાનગરપાલિકાના પાસાઓ વિશે પરિચય આપ્યો હતો
સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળ દ્વારા જળસંચય અભિયાનના શુભારંભ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કારણ કે આજની સ્થિતિએ વોટર સ્કેરસિટી, કલાયમેટ ચેન્જની અસરો, વધતી વસ્તી તેમજ પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને જળસંચય કરવું જરૂરી બને છે.
આ કાર્યક્રમના કમિશ્નર આનંદ પટેલ ઉપસ્થિત રહેલ તેઓએ રાજકોટ મહાનગરપાલિકાના પાસાઓ વિશે પરિચય આપ્યો હતો. તેમજ આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂસ્તરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને Aquifer mapping DPR તૈયાર કરવામાં આવ્યું છે. તેની વિગતો તેમજ મહાનગરપાલિકા દ્વારા જળસંચય વિભાગની રચના કરીને બોર રીચૉજ, ચેક ડેમો બનાવવા, ડ્રેનેજનું રીટ્રીટેડ પાણીનો વપરાશ કરવો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ભવિષ્યના આયોજન અંગેની તમામ બાબતો વિશે વિગતો તેઓ દ્વારા આપવામાં આવેલી હતી.
