સતત 21,368 દિવસથી અખંડ હરિનામ સંકીર્તન ગુંજતું મંદિર: રામધામમાં યોજાયો ભવ્ય આંબા અન્નકૂટ મનોરથ
Live TV
-
ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક સમાન આ મંદિરમાં છેલ્લા 59 વર્ષ એટલે કે સતત 21,368 દિવસથી 'શ્રી રામ જય રામ જય જય રામ' મંત્રની અખંડ ધૂન ગુંજી રહી છે.
જ્યાં રોકડ રકમ ધરવાની પણ મનાઈ છે, તેવા આ પવિત્ર ધામમાં ગઈકાલે ભવ્ય 'આંબા અન્નકૂટ મનોરથ'નું આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન શ્રી રામને વિવિધ પ્રકારના આંબા (કેરી)ના અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.પ્રભુ શ્રી રામની મૂર્તિને સુંદર પુષ્પોથી ભવ્ય શણગારવામાં આવી હતી, જેણે ભક્તોના મન મોહી લીધા હતા. આ અદ્ભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને રામભક્તો ઉમટી પડ્યા હતા. રાત્રિના સમયે વિશેષ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.દાયકાઓથી અવિરત ચાલતી આ અખંડ ધૂન અને આયોજિત મનોરથને નિહાળી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
