સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો પહેલી એપ્રિલ, 2021 થી શરૂ કરવાનો સરકારે લીધો નિર્ણય
Live TV
-
સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો પહેલી એપ્રિલ, 2021 થી શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાનો હેતુ ધરાવતુ આ અભિયાન 31મી મે સુધી ચાલશે. આ જળ અભિયાન હેઠળ જળસંગ્રહનાં કામ હાથ ધરાય છે, જેમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમનાં ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોનાં પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પુનઃજીવિત કરવા જેવા કામ હાથ ધરાય છે.
