સુરતના રાંદેર વિસ્તારમાં બિલ્ડિંગની ગેલેરી પડતાં 3ના મોત
Live TV
-
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે આ ત્રણેયનાં મોત થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયું હતું. જોકે મજૂરી કરી રાત્રે આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમ જીવીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
