સ્વચ્છતા પખવાડિયા હેઠળ કાલુપુર રેલવે સ્ટેશને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Live TV
-
ભારતીય રેલ્વે દ્વારા 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડીયા મનાવવામાં આવી રહ્યું છે.
તેના અનુસંધાનમાં આજે કાલુપુર રેલ્વેસ્ટેશન ખાતે એન્જલ સંસ્થા દ્વારા એન્ટ્રીથી એક્ઝીટ સુધી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સંસ્થાના 30 થી વધુ કાર્યકરતાઓ દ્વારા રેલ્વે પરિષરને સાફ કરવામાં આવ્યું હતુ.
આ અંગે અમદાવાદ સ્ટેશનના એન્વાયરમેન્ટ ઓફિસર ફ્રેડ્રિક પેરિયત જણાવ્યું હતુ કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જુદી જુદી સંસ્થાઓના કાર્યકરો દ્વારા રોજ રેલ્વેસ્ટેશન ખાતે સફાઇ અભિયાન યોજાશે.
