ઝારખંડ: 7 ગ્રામીણોની હત્યા મામલે CM હેમંત સોરેને SIT તપાસના આપ્યા આદેશ
Live TV
-
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને નકસલ પ્રભાવીત પશ્રિમ સિંઘભૂમના બુરુગુલીકેલા ગામમાં સાત બ્રાહ્મણોની નિર્મમ હત્યાની ધટના પર ઝારખંડ મંત્રાલયમાં મુખ્ય સચિવ, ઉપ મુખ્યસચિવ ગૃહ, ડીજી પોલીસ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહયું કે જનતાનો ભરોષો તેમની ઉપર જળવાય રહે તેવી પોલીસની કામગીરી હોવી જોઇએ. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુનેગારને છોડવામાં આવશે નહી. મુખ્યમંત્રીએ આ કેસની એસ આઇ ટી દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી આ ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને સાંત્વના પાઠવવા તેમને મળવા જવાના હોવાનું જાણવા મળ્યું છે
