દિલ્હી પોલીસે દેશદ્રોહના આરોપી શરજીલ ઈમામની બિહારના જહાનાબાદથી કરી ધરપકડ
Live TV
-
જહાનાબાદ : જવાહરલાલ નેહરું યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે બિહારના જહાનાબાદથી તેની ધરપકડ કરી છે. શરજીલ પર પોલીસે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. શરજીલ ઈમામે દેશ વિરોધી નિવેદન આપતા તે વિવાદમાં હતો. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે પોતાના ભાષણમાં આસામ સહિત પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની વાત કરી હતી. આ વિવાદિત અને ભડકાઉ ભાષણ બાદથી જ શરજીલ ઈમામ ફરાર હતો.
