'દેખો અપના દેશ' થીમ સાથે ભારત પર્વ 2020 લાલ કિલ્લામાં શરૂ
Live TV
-
ભારતની ભાવના સાથે જોડાયેલ - ભારત પર્વ 2020 દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે શરૂ થયો છે.
31મી જાન્યુઆરી સુધી આ પર્વ ચાલશે. ભારત પર્વનો ઉદ્દેશ્ય લોકોને દેશના વિવિધ પ્રવાસન સ્થળોની યાત્રા કરવા માટે પ્રોત્સાહિત કરવા અને દેખો અપના દેશની ભાવના પેદા કરવાનો છે.
પ્રવાસન મંત્રાલયે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારત પર્વનો વિષય છે, એક ભારત શ્રેષ્ઠ ભારત અને મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી. ભારત પર્વ બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો રહેશે. આ પર્વ લોકો માટે નિઃશુલ્ક રહેશે, પરંતુ લોકોએ પોતાનું ઓળખપત્ર બતાવવાનું રહેશે.
