બ્રાઝિલ ઊર્જાક્ષેત્રે ભારત સાથે વેપાર કરવા તત્પરઃ રાષ્ટ્રપતિ જાયર બોલસેનારો
Live TV
-
ભારત-બ્રાઝીલ બિઝનેશ ફોરમમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું સંબોધન-કહ્યુ , 2025 સુધીમાં ભારત 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનુ લક્ષ્યકરશે પુરુ -બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સેનારોએ આ બિઝનેસ ફોરમને ઊર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર મુક્યો ભાર.
દિલ્હીમાં આયોજિત ભારત - બ્રાઝિલ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.
ફોરમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, 2025 સુધીમાં ભારત 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાનુ લક્ષ્ય જલ્દી પુરુ કરશે. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ આ બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું. ફોરમને સંબોધતાં તેમણે ઊર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર ભાર મુક્યો હતો.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસેનારોએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રાઝિલ વચ્ચે રણનીતિક ભાગીદારી માટે એક મહાત્વાકાંક્ષી કાર્યયોજના તૈયાર કરવામાં આવી છે. ઉર્જાક્ષેત્રમાં ભારત સાથે બ્રાઝિલ ભાગીદારી કરવા તત્પર છે.
