પૂર્વોત્તરમાં બોડો સમસ્યાના સમાધાન માટે ઐતિહાસિક ત્રિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર
Live TV
-
આજે થશે કેન્દ્ર સરકાર , અસમ સરકાર અને બોડો સમૂહ વચ્ચે ત્રિપક્ષીય સમજુતી
નવા વર્ષે પૂર્વોત્તર ક્ષેત્રમાંથી એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રુ વિસ્થાપિતોના અઢી દશકા જૂની સમસ્યાના સમાધાનના 10 દિવસ બાદ મોદી સરકાર અસમના બોડો મુદ્દાનો પણ ઉકેલ લાવવા જઈ રહી છે. આજે બપોરે આ મુદ્દાના કાયમી ઉકેલ માટે સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની ઉપસ્થિતિમાં થનારી આ સમજૂતિ પર કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત બોડો મુદ્દા સાથે જોડાયેલા અનેક સંગઠનો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
જેમા પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના તમામ ગૃપ પણ સામેલ થયા હતા. આ ત્રિપક્ષીય સમજૂતિ દિલ્હીમાં થઈ હતી. સમજૂતિમાં અલગ બોડોલેન્ડ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની માગ વિના આદિવાસીઓને રાજનીતિક અને આર્થિક લાભ આપવા મુદ્દે પણ ચર્ચા થશે.
