ભારતમાં આર્થિક મંદી અસ્થાયી છેઃ આઈએમએફ
Live TV
-
માહોલ સકારાત્મક બનાવાના કારણોમાં, અમેરિકા અને ચીન વચ્ચે થયેલી પ્રથમ તબક્કાની વેપાર સમજૂતિ છે
International Monetary Fund ના પ્રમુખ,Kristalina Georgieva એ શુક્રવારે જણાવ્યું હતું, કે ભારતમાં આર્થિક મંદી અસ્થાયી છે , અને આવનારા સમયમાં તેમા સુધારો આવવાની શક્યતા દેખાઈ રહી છે. Georgieva એ વિશ્વ આર્થિક મંચ 2020ને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2019માં ,જ્યારે IMF એ વૈશ્વિક આર્થિક પરિદૃશ્યની ઘોષણા કરી હતી, તેની સરખામણીએ જાન્યુઆરી 2020માં વિશ્વ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે માહોલ સકારાત્મક બનાવાના કારણોમાં, અમેરિકા અને ચીન વચ્ચે થયેલી પ્રથમ તબક્કાની વેપાર સમજૂતિ છે. તેનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ચાલી રહેલા વ્યાપારિક તણાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ટેક્સમાં કરાયેલ ઘટાડો પણ , માહોલને સકારાત્મક બનાવવામાં ઉપયોગી સાબિત થયો છે. IMF પ્રમુખે ઉત્પાદક્તામાં લાંબાગાળાની વૃદ્ધિમાં મંદી , વૈશ્વિક અર્થવ્યવસ્થા સામેનું જોખમ ગણાવ્યું હતું.
