ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મંત્રી-સ્તરનો સંરક્ષણ સંવાદ યોજાયો
Live TV
-
આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ નરવને અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ પણ હાજર હતા
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મંત્રી-સ્તરનો સંરક્ષણ સંવાદ આજે નવી દિલ્હીમાં યોજાયો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાન જેંગ ક્યોંગ-ડૂએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ નરવને અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ પણ હાજર હતા. પાછળથી ટ્વીટ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે આ વાતચીત અત્યંત ફળદાયી રહી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનશે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સંરક્ષણ જોડાણોએ તાજેતરના વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે
