મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશે
આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે આવતી કાલે તા.23 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ હાજર રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરશે.