કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની લેશે મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. જેમાં આજે બીજા દિવસે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની મુલાકાત લેશે અને આતંકવાદીઓ સાથેના તાજેતરના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારોને મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદ પર એક ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લેશે અને સુરક્ષા પરિસ્થિતિ-વિકાસ પહેલની સમીક્ષા કરશે. ગૃહમંત્રી અમિત શાહ બપોરના સમયે શ્રીનગર જશે.