આગામી યોજાનાર ચૂંટણી અંગે ધ્રાંગધ્રા ખાતે ભાજપ કાર્યકરોના માર્ગદર્શન માટે યોજાઈ બેઠક
Live TV
-
રાજ્યમાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.. જેના અંતર્ગત આજરોજ ધ્રાંગધ્રા ખાતે ભાજપના કાર્યકરોના માર્ગદર્શન માટે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના મળીને કુલ 300 જેટલા કોંગ્રેસના સભ્યો તેમજ કાર્યકર્તાઓએ ભાજપના આગેવાન આઈ.કે.જાડેજા, પુરસોત્તમ સાબરીયા તેમજ જિલ્લા પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.
