રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલીના કૃષ્ણગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ પર પરિસંવાદ યોજ્યો
રાજ્યપાલએ ગ્રામજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરો જમીનને બિનઉપજાઉ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને અળસિયા જમીનની ફળદ્રુપતા અને પાણી શોષવાની ક્ષમતા વધારે છે. તેમણે ચેતવણી આપી કે રાસાયણિક ખાતરયુક્ત ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી આગામી પેઢીને શુદ્ધ ખોરાક, હવા અને પાણી આપવા માટે જરૂરી છે.