ગુજરાત આદિવાસી સમુદાય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું
ગુજરાત આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી સમુદાયના આનુવંશિક રોગોની પરખ થવાથી સસ્તી નિદાન પદ્ધતિનો વિકાસ થશે અને રૂપિયા 1 લાખના બદલે ફક્ત 1,000-1,500નો ખર્ચ થશે. ગુજરાતની અદ્યતન જીનોમ સુવિધા અંતર્ગત 48-72 કલાકમાં 25-50 નમૂનાઓનું સિક્વન્સિંગ થાય છે.