વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા રોજગાર મેળાનું આયોજન
આજે દેશભરમાં 47 સ્થળ પર 51 હજાર યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. જે અંતર્ગત વડોદરા સ્થિત સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ દ્વારા એફજીઆઈના સભાગૃહમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાઓને તેમની લાયકાતના આધારે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.