ચોમાસા વચ્ચે કેદારનાથ યાત્રા માટે તંત્ર એલર્ટ, શ્રદ્ધાળુઓને સાવધાની રાખવા અપીલ
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય થતાં રુદ્રપ્રયાગ વહીવટીતંત્રે ભક્તોને યાત્રા દરમિયાન વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ કહ્યું કે, 22 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, વિસ્તારમાં વરસાદ સતત વધી રહ્યો હોવાથી તંત્ર હાઇ એલર્ટ પર છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પરિસ્થિતિ વિશે શું કહ્યું ?