સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: લોકશાહીના પર્વને ઉજવવા અમદાવાદ સજ્જ
લોકશાહીના પર્વ એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઉજવવા માટે અમદાવાદ સજ્જ છે... જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી... મતદારો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે... મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાશે... ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે...
સ્થાનિક સ્વરાજનો સંગ્રામ