અરવલ્લી જિલ્લામાં જનકલ્યાણ શિબિરનું આયોજન
અરવલ્લી જિલ્લામાં જનકલ્યાણ અને વિકાસના વિઝનને વેગ આપતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવા માટે જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરો દ્વારા છેલ્લા 12 વર્ષમાં વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવ્યું છે.આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને તેનો સીધો લાભ અપાવવામાં આવ્યો હતો.