ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીની સુચના:મંત્રી જીતુ વાઘાણી
ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ આદેશો આપ્યા છે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આપેલા આદેશો અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે, તેને રાજ્ય સરકાર પોતાની નૈતિક જવાબદારી ગણે છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્યમંત્રી, મંત્રીઓ અને જનપ્રતિનિધિઓએ રાજ્યના ખૂણે-ખૂણે વ્યાપક લોકસંપર્ક કર્યો હતો.