અડાલજમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ: નાગરિકોની સુખાકારી માટે ‘ઝીરો ટોલરન્સ’ પર ભાર
'કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ'ની થીમ પર આધારિત આ શિબિરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો અને ઉચ્ચ મહેસૂલી અધિકારીઓ સહભાગી થયા છે.મુખ્યમંત્રીએ કલેક્ટરોને લોકોના પ્રશ્નોનું નિવારણ સ્પષ્ટતા અને સંવેદના સાથે હસતા મુખે કરવા શીખ આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ'ના મંત્રને ચરિતાર્થ કરવા મહેસૂલ વિભાગને આહવાન કર્યું હતું.દાદા ભગવાનના બોધને ટાંકતા તેમણે જણાવ્યું કે, 'હું જ કરું છું' તેવો અહંકાર ત્યજીને જનસેવા કરવી એ જ સાચું દાયિત્વ છે.