ચોમાસામાં માર્ગ સલામતી માટે AMCની નવી પહેલ: ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ કરાશે ટ્રાફિક માર્શલ તૈનાત
વરસાદી મોસમ દરમિયાન રસ્તાઓ પર ચાલી રહેલી વિવિધ કામગીરી, ડાયવર્ઝન તેમજ અકસ્માતની સંભાવના ધરાવતા સ્થળોએ ટ્રાફિક માર્શલ તૈનાત કરીને વાહનચાલકોને અગાઉથી જ ચેતવણી અને માર્ગદર્શન આપવામાં આવશે.આ પહેલના ભાગરૂપે હાલમાં શહેરના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાં ચાલી રહેલી માર્ગ કામગીરીના સ્થળોએ કુલ 4 ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ટ્રાફિક માર્શલ વાહનચાલકોને આગળ માર્ગમાં ડાયવર્ઝન હોવાની માહિતી સમયસર આપશે તેમજ ટ્રાફિકના સરળ સંચાલનમાં મદદરૂપ બનશે. જેના પરિણામે વાહનચાલકોને અચાનક ડાયવર્ઝનનો સામનો કરવો નહીં પડે અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ પણ ઓછો થશે.