Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વડોદરા એરપોર્ટના વિકાસ માટે મહત્વનો નિર્ણય: ટૂંક સમયમાં શરૂ થશે હવાઈ કાર્ગો સુવિધા

રાજ્ય સરકાર દ્વારા આવર્ષનાં બજેટમાં વધુ રકમ ફાળવવામાં આવી હોવાનું સાંસદે જણાવ્યું હતું. ઉપરાંત મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોને હવાઈ કાર્ગોની સુવિધા એક મહિના સુધીમાં મળશે તેમ જણાવ્યું હતું. ડોમેસ્ટિક ફ્લાઇટ ઓછી થઈ છે તેમાં પણ વધારો કરવામાં આવશે.તેમજ વડોદરા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે પણ  સજ્જ હોવાનું જણાવ્યું હતું.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરના હેરિટેજ રિસ્ટોરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરી: ઐતિહાસિક વિરાસતનું વૈજ્ઞાનિક ઢબે થશે જતન

રાજ્ય સરકારની ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલી આ કાર્યક્રમ દ્વારા વડનગરની પ્રાચીન ઇમારતો અને શેરીઓને તેના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ અવસરે નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વડનગરના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની નેમ દોહરાવી હતી.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વડનગરના હેરિટેજ વિસ્તારોની આગવી ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવી રાખવાનો છે.

Gujarati

મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા અર્થે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક 'બંદોબસ્ત સ્કીમ' તૈયાર કરવા સૂચના આપી હતી. 

Gujarati

પદ્મ પુરસ્કારો 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ અલકા યાજ્ઞિક અને મામૂટી સહિત 65 હસ્તીઓને કર્યા પદ્મ પુરસ્કારો પ્રદાન

તેમના પત્ની રૂપી સોરેને આ સન્માન સ્વીકાર્યું. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજને પણ પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો. ગાયિકા અલકા યાજ્ઞિકને પણ રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યા.પી. નારાયણન અને ન્યાયાધીશ (નિવૃત્ત) કેટી થોમસને સાહિત્ય, શિક્ષણ અને જાહેર સેવામાં તેમના યોગદાન બદલ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ ભૂષણ મેળવનારા અન્ય વ્યક્તિઓમાં એસકેએમ માલાનંદન, મામૂટી, વેલ્લાપલ્લી નાટેસન અને દત્તાત્રેયુડુ નોરીનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓની યાદીમાં બે અમેરિકનો, એક રશિયન અને એક જ્યોર્જિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે.

Gujarati

ગુજરાત લોકભવનમાં આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો ત્રીજો દિવસ

કથાના પ્રારંભમાં આચાર્યએ જણાવ્યું કે, મુનિ વિશ્વામિત્રના સિદ્ધ આશ્રમમાં શ્રીરામે અદભૂત પરાક્રમ દાખવીને રાક્ષસોનો સંહાર કર્યો. મારીચને પરાજિત કરી અને સુબાહુનો વધ કરીને તેમણે યજ્ઞની રક્ષા કરી. આચાર્યએ અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ વર્ણવતા કહ્યું કે, શ્રીરામના સાનિધ્યથી અહલ્યાનું જીવન ધન્ય થઈ ગયું. કથાના મુખ્ય આકર્ષણ સમાન શ્રીરામ-જાનકી વિવાહનો પ્રસંગ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાજા જનકની શરત પૂર્ણ કરીને શ્રીરામે જ્યારે શિવધનુષ પર પ્રત્યંચા ચઢાવીને ખેંચી, ત્યારે શિવધનુષ તેમના બાહુબળ સામે તૂટી ગયું.

Gujarati

અમદાવાદ રથયાત્રા: AMC દ્વારા 13 કિમી લાંબા રૂટ પર સુરક્ષા, આરોગ્ય અને સફાઈનું વ્યાપક આયોજન

AMCના એસ્ટેટ વિભાગે રથયાત્રા રૂટ પર આવેલા  633 ભયજનક મકાનોને ચિહ્નિત કરી જાહેર ચેતવણીની નોટિસ લગાવી છે. અકસ્માત નિવારવા માટે આ મકાનો પાસે પોલીસ સાથે AMCના કર્મચારીઓ તૈનાત રહેશે અને ફિક્સ બેરિકેડિંગ કરવામાં આવશે. ઈજનેર વિભાગ દ્વારા રૂટ પર 1800 મીટર રોડ રીસરફેસિંગ, પેચવર્ક અને ફૂટપાથ રિઇન્સ્ટેટમેન્ટની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત, રૂટ પર 560 વધારાની ફ્લડલાઇટ્સ અને 11 ડીઝલ જનરેટર સેટની વ્યવસ્થા કરાઈ છે.યાત્રાળુઓની સુવિધા માટે 15 મેડિકલ ઓફિસર અને 100 કર્મચારીઓ સાથે 7 મોબાઇલ મેડિકલ વાન કાર્યરત રહેશે. ફાયર વિભાગના 203 કર્મચારીઓ સતત ફરજ પર તૈનાત રહીને સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Gujarati

વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણ અને નિકાસ વૃદ્ધિ મહત્વપૂર્ણ છે: EAC-PM અધ્યક્ષ

રાષ્ટ્રીય રાજધાનીમાં FICCI ઇન્ડિયાના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું, "ખાનગી ક્ષેત્રનું રોકાણ અને વધેલી નિકાસ બંને મહત્વપૂર્ણ છે." દેવે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલા માળખાકીય સુધારાઓએ આ દિશામાં પ્રગતિનો પાયો નાખ્યો છે.

Gujarati

દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માત: રિક્ષા અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત

આ ગોઝારા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એછવાડા ગામના પાટીયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. મૃતકોની ઓળખ પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની તરીકે થઈ છે, જેમાં કિરણભાઈ વઢેર, બળદેવભાઈ ઠાકોર અને ભરતભાઈ ગગજીભાઈ સિંધવનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતા જ દસાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દસાડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarati

રાષ્ટ્રીય રમતગમત બોર્ડના અધ્યક્ષ અને બે સભ્યોના પદ માટે આવી છે અરજીઓ મંગાવવામાં

યોગ્ય વ્યક્તિઓ ઑનલાઇન પોર્ટલ https://sports.yas.gov.in/application_app દ્વારા અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2026 છે.કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતગમત બોર્ડના અધ્યક્ષ અને બે સભ્યોના પદો પર નિમણૂકો રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (સર્ચ-કમ-પસંદગી સમિતિ) નિયમો, 2026 ના નિયમ 3(3) હેઠળ રચાયેલી શોધ-કમ-પસંદગી સમિતિની ભલામણોના આધારે કરવામાં આવશે. આ સમિતિમાં જાહેર વહીવટ, રમતગમત વહીવટ, રમતગમત કાયદો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા લાયક, પ્રામાણિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થશે.

Gujarati

બે ભારતીય યુદ્ધ જહાજો વિયેતનામ પહોંચ્યા; નૌકાદળ સહયોગને વેગ મળશે

આ યુદ્ધ જહાજો સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે. નૌકાદળની ટુકડીનું નેતૃત્વ પૂર્વીય કાફલાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ આલોક આનંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ જમાવટનો ભાગ, INS ઉદયગિરી, એક અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS કવરતી એક અદ્યતન કોર્વેટ છે જે સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓથી સજ્જ છે. બંને યુદ્ધ જહાજો ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન કૌશલ્ય અને આત્મનિર્ભર નૌકાદળ શક્તિનું ઉદાહરણ આપે છે. પોર્ટ કોલ દરમિયાન, ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવી વચ્ચે વિવિધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply